કેબિનેટની નિમણૂંક કમિટીએ લગાવી મહોર: અજિત ડોભાલને સતત ત્રીજી વખત NSA નિમવામાં આવ્યા, પી કે મિશ્રા વડાપ્રધાનના પ્રિન્સિપલ સેક્રેટરી; મોદી સરકારે આપ્યું સર્વિસ એક્સટેન્શન
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan13062024_122955_Ajit-DOval.webp)
- 13 Jun, 2024
મોદી સરકારે નેશનલ સિકિયોરિટી એડવાઈઝર(NSA) તરીકે સતત ત્રીજી વખત અજિત ડોભાલની નિમણૂંક કરી છે. જ્યારે પી કે મિશ્રાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે જાળવી રાખવામાં આવ્યા છે. કેબિનેટની નિમણૂંક કમિટીએ આ બંને પદો માટે સર્વિસ એક્સટેન્શનને માન્યતા આપી છે. ઉલ્લેખનીય છે કે આ બંને ટોચના અધિકારીઓ મોદી સરકારના ખાસ છે અને તેમણે કરેલી ઉત્તમ કામગીરીના આધારે તેમની સેવાને વધારવામાં આવી છે.
અજિત ડોભાલ સતત ત્રીજી વાર એનએસએ બન્યાં છે તો પીકે મિશ્રાને પણ જાળવી રાખવામાં આવ્યા છે. આ બન્ને ટોચના અધિકારીઓ મોદી સરકારના ખાસ પ્રીતિપાત્ર છે અને તેમની સર્વશ્રેષ્ઠ કામગીરીના આધારે જ તેમને સર્વિસ એક્સટેન્શન આપવામાં આવ્યું છે.
અજિત ડોભાલ 1968 બેચના IPS અધિકારી છે અને પીએમ મોદીના ખૂબ ભરોસાપાત્ર છે. 2014માં પીએમ મોદીના પ્રથમ કાર્યકાળમાં પણ ડોભાલ એનએસએ હતા બીજામાં પણ હતા અને હવે ત્રીજા કાર્યકાળમાં પણ તેમને સેવા વિસ્તરણ અપાયું છે. ડોભાલ વડા પ્રધાન માટે વ્યૂહાત્મક વિચારસરણી અને ઓપરેશનલ પ્લાનિંગ પણ કરે છે. તેઓ એક પ્રખ્યાત કાઉન્ટર ટેરરિઝમ નિષ્ણાત અને પરમાણુ મુદ્દાઓના પણ નિષ્ણાત છે. પીકે મિશ્રા 1972 બેચના નિવૃત્ત અધિકારી છે, જેઓ કૃષિ સચિવ તરીકે નિવૃત્ત થયા પછી છેલ્લા એક દાયકાથી PM મોદી સાથે છે. તેઓ પીએમઓમાં વહીવટી બાબતો અને નિમણૂંકો સંભાળશે.